Namo Sarswati Vigyan Sadhana Yojana

 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

Namo Sarswati Vigyan Sadhana Yojana


નમસ્કાર મિત્રો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ યોજના છે. જેનો ઉદેશ્ય ધોરણ 10 પાસ કરીને વિધાર્થીઓને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન (Science) લેવા પ્રોત્સાહિત કરવા માટે આ યોજના છે.

Join Whats App Channel: Click Here 

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભો:

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિધાર્થીઓને રૂપિયા 25000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

શિષ્યવૃત્તિ વહેચણી પ્રક્રિયા:

  • ધોરણ 11માં દર મહિને રૂપિયા 1000 (10 મહિના સુધી) એમ કુલ રૂપિયા 10000 આપવામાં આવે છે.
  • ધોરણ 12માં દર મહિને રૂપિયા 1000 (10 મહિના સુધી) એમ કુલ રૂપિયા 10000 આપવામાં આવે છે.
  • ધોરણ 12 સફળતાપૂર્વક પાસ કર્યા બાદ રૂપિયા 5000 આપવામાં આવે છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટેની પાત્રતા:

  • શૈક્ષિણક યોગ્યતા: ધોરણ 10માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ.
  • શૈક્ષણિક માધ્યમ: વિધાર્થીએ ધોરણ 11-12 માં વિજ્ઞાન (Science) લીધું હોવું જોઈએ.
  • પરિવારની આવક: આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
  • સંસ્થાઓ: આ લાભ ગુજરાત રાજ્યની સરકારી/અનુદાનિત અથવા માન્યતા પ્રાપ્ત શાળાના નિયમિત વિધાર્થીઓ માટે છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટેની દસ્તાવેજો યાદી:

  • ધોરણ 10ની માર્કશીટ (50% કે તેથી વધુ ગુણ સાથે)
  • આધારકાર્ડ (વિધાર્થીનું અને માતાનું)
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (માતાનું એકાઉન્ટ)
  • આધારકાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ.
  • આવકનું પ્રમાણપત્ર: વાર્ષિક 6 લાખ અથવા તેનાથી ઓછી આવક હોવી જોઈએ.
  • શાળાનુ આઈડી કાર્ડ અથવા બોનોફાઈડ સર્ટિ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

અરજી કઈ રીતે કરવી? :

  • આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો વિધાલયના આચાર્ય પાસે જમા કરાવવાના હોય છે.
  • SSA GUJARAT ના પોર્ટલ CTS માં નોંધણી કરેલ હોવી જોઈએ.
  • દસ્તાવેજોની ચકાસણી: વિધાલયના આચાર્ય અને DEO દ્વારા દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કરવામાં આવે છે.
  • સબમિશન: વિદ્યાલય દ્વારા યોગ્યતા ધરાવતા વિધાર્થીનીઓની અરજી સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.
  • DBT દ્વારા ચૂકવણી: આ યોજના હેઠળ વિધાર્થીની અરજી મંજૂર થઈ જાય ત્યાર બાદ દર મહિને સીધી વિધાર્થીના માતાના ખાતામાં અથવા વિશેષ સંજોગોમાં વિધાર્થીના ખાતામાં DBT દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

મહત્વની નોંધ: આ યોજનાનો લાભ લેવા માટે વિધાર્થીની હાજરી 80% હોવી જોઈએ, નહીતર આ યોજનાનો લાભ મળશે નહી..

Post a Comment

Previous Post Next Post